Skip to main content

ઋષિ પંચમી


દત્તાત્રેય ભગવાને જન્મ લીધ તે અત્રિઋષિ, શકુંતલાને  ઉછેરનાર કણ્વ, ગોત્રથી પ્રસિદ્ધ કશ્યપ, ભારદ્વાજ, પાંડવોના આચાર્ય કૃપાચાર્ય- આ બધા ભારતીય સંસ્કૃતિના ''માઈલસ્ટોન'' છે.
રામાયણ શબ્દ કાને પડતાંની સાથે જ મહર્ષિ વાલ્મિકી યાદ આવે અને મહાભારત યાદ આવતાં જ મહર્ષિ વેદવ્યાસ સ્મૃતિપટે તાજા થાય. કૃષિ અને ઋષિ એ તો ભારતભૂમિની ધરોહર છે. વિશ્વનું સર્વપ્રથમ મહાકાવ્ય રામાયણ છે. આજે ઋષિઓને યાદ કરવાનો ઉપક્રમ છે જે સૌને ગમશે.
''ઋષિ''- એટલે મંત્રદૃષ્ટા, નવું દર્શન આપનાર, સાધુ પુરુષ, ઉચ્ચ કોટિના સંત, શ્રેષ્ઠ તપસ્વી- જેવા ઘણા સાત્વિક અર્થો થાય છે. સમગ્ર જગતમાં જો કોઈ સાહિત્યની શરૃઆત થઈ હોય તો તે વેદ છે અને વેદોનું સાંગોપાંગ સર્જન કરનારા આપણા આ મહાન ઋષિઓ છે એ ઋષિઓને વંદન કરી આગળ વધીએ.
''ઋષિ''- ઓના પણ તેમના કર્મો અનુસાર અલગ અલગ પ્રકારો છે. રાજ્યાશ્રય મેળવી રાજાનું અને રાજ્યનું માર્ગદર્શન કરે એને રાજર્ષિ કહે છે, દા.ત. અયોધ્યામાં દશરથ રાજાના ઋષિ વશિષ્ઠ. જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ખાસ મહારથ હાંસલ કરેલ હોય તેમને મહર્ષિ કહે છે. દા.ત. મહાભારત મહાકાવ્યના રચયિતા મહર્ષિ વેદવ્યાસ. વેદોનો વિસ્તાર કર્યો તે વેદવ્યાસ.
દેવોના જે ઋષિ હોય તેને દેવર્ષિ કહેવાય છે દા.ત. નારદ. બ્રાહ્મણકુળના ઋષિને બ્રહ્મર્ષિ કહે છે દા.ત. ઉદાલક. પુલહ, પુલત્સ્ય, ક્રતુ, મરીચિ, અત્રિ, વશિષ્ઠ, અંગિરા- ને સપ્તર્ષિ કહે છે, જે સામાન્ય ફરજો અદા કરી તપ કરી તેમના જ્ઞાાનનો લાભ સર્વને પ્રદાન કરે તે ઋષિ કહેવાય, જેમકે માતંગ અને સાંદિપની.
ઋષિઓએ જ્યારે કોઈપણ ઇલેકટ્રોનિક સાધનો ઉપલબ્ધ ન હતાં અને યાતાયાતનાં મર્યાદિત સાધનો વચ્ચે પણ જે શોધો કરી જે સર્જનો કર્યાં તે આજે પણ વિશ્વનું માર્ગદર્શન કરે છે જેનાં ઉદાહરણ મોજૂદ છે જેનું સમગ્ર વિશ્વ ઋણી છે જેમ કે :
પતંજલિ ઋષિએ યોગશાસ્ત્રની રચના કરી જે આજે પણ એટલાં જ પ્રસ્તુત છે, સમગ્ર વિશ્વ યોગદિવસ મનાવે છે વાત્સાયન ઋષિએ કામસૂત્ર આપ્યું જે દાંપત્યજીવન માટે આજે પણ સૌનું માર્ગદર્શન કરે છે. ચ્યવનઋષિએ ચ્યવનપ્રાશની જે ભેટ આપી તે આજે  સૌ શિયાળામાં આરોગી તંદુરસ્તીને બરકરાર રાખે છે. હિંદુ ધર્મનાં છ દર્શનશાસ્ત્રો જેમાં કપિલમુનિએ સાંખ્યશાસ્ત્ર, પતંજલિએ  યોગશાસ્ત્ર, ગોકર્ણે ન્યાયશાસ્ત્ર, કણાદમુનિએ વૈશેષિકશાસ્ત્ર, જૈમિનીએ પૂર્વમીમાંસા અને વેદવ્યાસે ઉત્તરમીમાંસા (વેદાંત) આપ્યાં જેનો દુનિયામાં આજે પણ જોટો મળવો મુશ્કેલ છે !
માણસ માત્રના ચાર પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પરિપૂર્ણ, ચરિતાર્થ કરતાં આવાં અનેક શાસ્ત્રો અનેક મુનિઓએ આપણને ભેટ આપ્યાં છે જેમાં મુખ્યત્વે ચારવેદ, ચાર ઉપવેદ, એકસોને આઠ ઉપનિષદો, અઢાર પુરાણો, યોગવશિષ્ઠ રામાયણ, વિદુરનીતિ, શ્રીમદ્ ભગવદ્ગીતા, શ્રીમદ્ ભાગવત, ચરકસંહિતા, ભૃગું સંહિતા વગેરેનો સમાવેશ થાય છે. જેને હજારો વર્ષ થયાં છતાં પણ આજે સૌ આ બધાં હોંશે હોંશે વાંચે છે. આનંદ પામે છે.
વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્ર આપ્યું. અર્થવન ઋષિએ અગ્નિમાં આહુતિ આપી સૌ પ્રથમ યજ્ઞાની શરૃઆત કરી. બંદૂકમાં વપરાતા પદાર્થની શોધ ઔર્વ ઋષિએ કરી. પરમાણુ સ્પંદન કરે છે એની શોધ સૌ પ્રથમ કણાદ મુનિએ કરી. શ્રાદ્ધવિધિનું સંપૂર્ણ જ્ઞાાન દુનિયાને ગોભિલઋષિએ આપ્યું. એક પતિવ્રતની શરૃઆત દીર્ધતમા ઋષિ દ્વારા થઈ. અસ્ત્રશાસ્ત્ર વિશેનું સંપૂર્ણ વિવેચન અગ્નિવેશ ઋષિએ કરી બતાવ્યું.
કણ્વ ઋષિએ ઋગ્વેદના નવમા મંડળની રચના કરી.ગર્ગ- એ  ગર્ગસંહિતા આપી. પોતાના તપોબળથી સનક, સનાતન, સનંદન ઋષિઓ સદા પાંચ વર્ષની ઉંમરના બટુક જ લાગતા. શુકદેવજીએ સૌ પ્રથમ ભાગવત સપ્તાહની શરૃઆત કરી. ખેતરમાં પડેલાં દાણા વીણીને જ ગુજરાન કરી મુદગલ ઋષિ અમર થઈ ગયા. માંડૂક્ય ઉપનિષદે 'સત્યમેવ જ્યતે'- જેવું રાષ્ટ્રીય મુદ્રાલેખ જેવું સુંદર સૂત્ર આપ્યું.
કેટલાક ઋષિ પોતાના સ્વભાવ અને કર્મથી આજે ય પ્રસિદ્ધ છે. દુર્વાસા ક્રોધ અને શાપ માટે જાણીતા છે. એકવીસ વાર પૃથ્વી નક્ષત્રિય કરનાર પરશુરામને કોણ નથી ઓળખતું ? અગત્સ્ય મુનિ જન્મ્યા ઘડામાંથી પણ સમુદ્ર પી ગયેલા. દેવોના વિજ્ય માટે દધીચિ  ઋષિએ પોતાનાં હાડકાંનું દાન કરી દીધેલું. સાંદીપનિને ત્યાં ખુદ શ્રીકૃષ્ણ વિદ્યાભ્યાસ કરવા ગયેલા. દત્તાત્રેય ભગવાને જન્મ લીધ તે અત્રિઋષિ, શકુંતલાને  ઉછેરનાર કણ્વ, ગોત્રથી પ્રસિદ્ધ કશ્યપ, ભારદ્વાજ, પાંડવોના આચાર્ય કૃપાચાર્ય- આ બધા ભારતીય સંસ્કૃતિના ''માઈલસ્ટોન'' છે.
ઋષિપત્ની ઋષિકાઓ પણ તેઓની વિદ્વતા- સાહસ- સંસ્કાર માટે આજે પણ પૂજનીય છે. જેમાં સતી અનસૂયા, ગાર્ગી, અહલ્યા, સતી વૃંદા, દીતિ, અદિતિ, અંજની, ઇલા, કાત્યાયની, દેવયાની, દેવહુતિ, લોપામુદ્રા અને શતરૃપા મુખ્ય મુખ્ય છે. જ્યોતિષ, આરોગ્ય, સ્થાપત્ય, મંત્ર, યોગ, વિજ્ઞાન, ભૂગોળ, સાહિત્ય અને અધ્યાત્મ ક્ષેત્રે આ સર્વ ઋષિ- ઋષિપત્નીઓએ આપેલ યોગદાન માટે આપણે સૌ ઋણી છીએ ત્યારે આવો ઋષિપંચમીએ આ સૌને યાદ કરી સર્વને પ્રણામ, વંદન કરી ભાવાંજલિ અર્પણ કરીએ.
ॐ શાંતિ : શાંતિ : શાંતિ:.***

Popular posts from this blog

ગુજરાતી ભાષાનો વૈભવ (આપણો શબ્દવૈભવ)

લોચન :-ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ,નેન અવાજ :-રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ,કલરવ,કિલ્લોલ,શબ્દ,સૂર,કંઠ,નાદ આકાશ :- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ,વિતાન, નભસિલ,ફલક રજની :-રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની , વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા,રાત સાગર :-સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ,સાયર,જ્લનિધી,દધિ, સાયર, અર્ણવ,રત્નાકર,મહેરામણ,મહોદધિ નસીબ :-ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ , વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર સુવાસ :-પમરાટ, મહેંક , પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ,પીમળ,સુગંધ ,પરિમણ,ફોરમ, ધરતી :-પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા,અચલા, વસુમતી,ધરા, ભોય,જમીન, ભોમકા,ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા,અવનિ, સૂરજ :-રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા ,આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ , મધવા, અંશુમાલી , મરીચી , ખગેશ ,ભાણ...

પપ્પા એટલે શું❓

👉 આપણા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા; 👉 આત્મવિશ્વાસ નો અડીખમ ગિરનાર એટલે પપ્પા; 👉 હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા; 👉 સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા; 💁 મમ્મીએ મને ડરતા શીખવ્યું; 👨 પપ્પાએ મને લડતા શીખવ્યું. 💁 મમ્મીએ મારી ઠેંસ પર મલમપટ્ટી કરી છે; 👨 પપ્પાએ ઈ ઠેંસ જોઈને મારી ધૂળ કાઢી છે. 💁 મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો; જ્યારે 👨 પપ્પાએ મને સૈનિક બનાવ્યો છે. 👨 પપ્પા એક પ્રકૃતિ છે... 👉 જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે. 💁 મમ્મીને સમજી શકાય.  પણ 👨 પપ્પાને સમજવા સંતાનો ની ફુટપટ્ટી હંમેશા ટુંકી પડે છે. 👍 આ પપ્પા 👨 જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે. 👍 આ પપ્પા 👨 જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે. 👍 આ પપ્પા 👨 જે પોતે સાઈકલ સ્વીકારીને છોકરાવ ને બાઈક અપાવે. 👍 આ પપ્પા 👨 જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે. 👍 આ પપ્પા 👨 જે સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે. 👍 આ પપ્પા 👨 જે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું બઘું કરા...